Monday, October 12, 2020

પ્રાચીન ભારતીય મંદિરોમાં સ્થાપત્યની શૈલી...

પ્રાચીન ભારતીય મંદિરોમાં સ્થાપત્યની શૈલી. 🏞️🌅🏞️🌅🏞️🌅🏞️🌅🏞️🌅🏞️🌅 👉ગુપ્ત કાળની 4થીથી 6ઠ્ઠી સદીમાં મંદિરોના નિર્માણના પુરાવા મળેલ છે.સ્થાપત્યવિદોના અનુમાન અનુસાર અગાઉના સમયના મંદિરોના પુરાવા જોતાં તે સમયે લાકડાના મંદિરો બંધાવવામાં આવતા હશે.પરંતુ ટૂંક સમયમાં ભારતમાં ઘણા સ્થળોએ ઈંટોના મંદિર બનાવવાનું શરૂ થયું.7મી સદી સુધીમાં દેશની આર્ય સંસ્કૃતિમાં પત્થરોવાળા મંદિરોના પુરાવા પણ મળ્યા છે.પૂર્વ-મધ્યયુગીય શિલ્પોમાં મંદિરના સ્થાપત્યની ત્રણ મુખ્ય શૈલીઓ મનાય છે.1.નાગરશૈલી 2.દ્રવિડશૈલી 3.વેસરશૈલી. 👉નાગર શૈલીનો વ્યાપ હિમાલય અને વિંધ્યાચળ પર્વતોની નર્મદા વચ્ચે જોવા મળે છે.દ્રવિડ શૈલીના મંદિરોનો વ્યાપ કૃષ્ણા અને કાવેરી નદીઓ નજીકની જમીન સાથે જોડાયેલ છે.આથી આ વિસ્તારના મંદિરોમાં આ શૈલીની ઝાંખી થાય છે.ભારતીય સ્થાપત્યમાં મંદિર સ્થાપત્યની વેસર શૈલી 3જી શૈલી છે.જે નાગર શૈલી અને દ્રવિડ શૈલીને આધાર બનાવીને વિકસાવેલ માનવામાં આવે છે.નાગરી શૈલીના મંદિરની વિશેષતા તેની બાંધકામ હોય છે.નાગરી મંદિરમાં કુલ 8 ભાગ હોય છે.મુખ્ય બે ભાગમા ગર્ભગૃહ અને મંડપની ગણના કરવામાં આવે છે.ગર્ભગૃહ મંડપથી ઊંચું હોય છે.ગર્ભગૃહની છત ગોળાઈમાં હોવાથી તેની ઉંચાઈ વધી જાય છે.શરૂઆતની નાગરી શૈલીના મંદિરોમાં સ્તંભ મુકતા ન હતા.નાગરી શૈલીના મંદિરનો વિસ્તાર હિમાલયથી લઈને દક્ષિણ સુધી જોવા મળતો હોવાથી દરેક મંદિરોમાં સ્થાનિક ફેરફાર અને સ્થાનિક બાંધણીની વિશેષતા જોવા મળે છે.પરંતુ પાયાથી ઉપરની તરફ જતા ત્રિકોણ આકાર શિખર જેવું સ્થાપત્ય સામાન્યતઃ બધે જ સરખું જોવા મળે છે.મોટાભાગે હિન્દૂ મંદિરો જે નાગરી શૈલીના બનાવવામાં આવેલા. 👉દ્રવિડ શૈલીના મંદિરો દક્ષિણ બાજુ વધુ પ્રચલિત છે.કેટલાક પૌરાણિક મંદિરો ઉત્તર અને મધ્ય ભારતમાં પણ જોવા મળે છે.દ્રવિડ શૈલીના મંદિરોમાં પણ લંબગોળ ગર્ભગૃહ જોવા મળે છે.ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા કરવા માટેની જગ્યા મુકવામાં આવે છે.આ શૈલીના મંદિરની ખાસિયત એ છે કે મંદિર પિરામિડ આકારના હોય છે.દ્રવિડ શૈલીના મંદિરોમાં પ્લાસ્ટર અને સ્તંભનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો જોવા મળે છે.વિસ્મયજનક રીતે વિશાળ વિસ્તારમાં ફેલાયા હોય.અને તે વેળા કઈ ટેક્નિકથી ટનબંધી વજનના પથ્થર કેમ કરીને કોતર્યા કે શિખરે ચડાવ્યા હશે.એ સંશોધનને પાત્ર નથી?!
👉વેસર શૈલીના મંદિર સ્થાપત્યની શરૂઆત મધ્યયુગમાં થયેલ માનવામાં આવે છે.સ્થાપત્યવિદોના સંશોધન અનુસાર આ શૈલીને મિશ્રિત શૈલી માનવામાં આવે છે.વેસર શૈલીના મંદિરોની ઉંચાઈ વધારે નથી હોતી.જોકે મધ્ય ભારતમાં પણ એક જ શૈલીના મંદિરોમાં વિશેષતા જોવા મળે છે.ટૂંકમાં ભારતીય મંદિરોની બાંધણી મૌલિક અદભુત હોય છે.પણ આપણને શું ભણાવાતું રહ્યું અને પ્રચારાતું આવ્યું કે તાજમહાલ શ્રેષ્ઠ.અરે,તેજોમહાલય છે એ.

No comments:

Post a Comment