Monday, July 27, 2020

💐💐💐💐ડો.એ.પી.જે.અબ્દુલકલામ વિશે પ્રેરણાસ્ત્રોત વાતો જાણો...💐💐💐💐

2014ના વર્ષની આ વાત છે. સૌભાગ્ય વેટ ગ્રાઇન્ડર દ્વારા સ્પોન્સર્ડ એક કાર્યક્રમમાં ડો.એ.પી.જે.અબ્દુલકલામ મુખ્ય મહેમાન તરીકે ગયા હતા. કંપની તરફથી ડો.કલામને એક ગિફ્ટ આપવામાં આવી. ડો.કલામે વિનમ્રતા પૂર્વક ગિફ્ટનો અસ્વીકાર કર્યો. આયોજકોએ સ્પષ્ટતા કરી કે ગિફ્ટમાં બીજું કશું જ નથી માત્ર ગ્રાઇન્ડર છે અને ગિફ્ટ સ્વીકારવા આગ્રહ કર્યો.


ડો.કલામે આનાકાની કર્યા વગર ગિફ્ટ સ્વીકારી લીધી. ઘરે આવ્યા પછી પોતાને જે ગ્રાઇન્ડર ગિફ્ટમાં મળ્યું હતું તેની બજારમાં શુ કિંમત છે ? તે જાણવા માટે એક માણસને બજારમાં મોકલ્યો. પેલો માણસ કિંમત જાણી લાવ્યો એટલે ડો.કલામે સામાન્ય માણસને માર્કેટમાંથી એ ગ્રાઇન્ડર જેટલામાં મળે એટલી રકમનો (4850/- રૂપિયા)નો કંપનીના નામનો ચેક લખીને કંપનીને મોકલી આપ્યો.

ભારતના પૂર્વરાષ્ટ્રપતિએ પોતાની અંગત બચતમાંથી લખી આપેલો ચેક બેંકમાં ડિપોઝિટ કરવાની કંપનીની ઈચ્છા નહોતી એટલે સાચવીને મૂકી દીધો. એક મહિના જેવો સમય પસાર થયો. પોતાના બેન્ક ખાતામાંથી ચેકની રકમ ઉધારવામાં આવી નથી એ જાણ્યું એટલે ડો.કલામે પોતાના સ્ટાફને સૂચના આપી કે એમને કહી દો કે ચેક ડિપોઝિટ કરી દે અને જો એમ ન કરે તો એનું ગ્રાઇન્ડર રિટર્ન કરી દો.

કંપનીએ ચેકની સ્કેન કોપી કરાવી અને ફ્રેમમાં મઢાવીને ઓફિસમાં રાખી અને ઓરીજનલ ચેક બેંકમાં ડિપોઝિટ કર્યો. (ચેકનો ફોટો જુઓ)

નખ-શીખ પ્રામાણિક અને પવિત્ર મહામાનવ ડો.કલામ સાહેબને એમની પુણ્યતિથિએ કોટિ કોટિ વંદન. 💐💐💐💐💐🌺

No comments:

Post a Comment