Wednesday, July 29, 2020

💐💐💐💐સૂર્યમંદિર, મોઢેરા🕌🕌🕌વિશે માહિતી🕌🕌🕌🕌🕌🕌

🌹🌤સૂર્યમંદિર, મોઢેરા:🌤🌹
 🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌
👉#હાલનાં ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણથી આશરે 30 km.જેટલા અંતરે દક્ષિણમાં આવેલા મોઢેરા ગામ ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે.આ સૂર્યમંદિર સ્થાપત્યકળા-શિલ્પકામનો અજોડ નમૂનો પ્રસ્તુત કરે છે.ઈ.સ.1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા આ મંદિરના નિર્માણ કરાવવામાં આવ્યું હતું.




ઈતિહાસ:
🏰🏰🏰
👉#સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઈ.સ.1026માં (વિક્રમ સંવત ૧૦૮૩) કરેલું હતું.તે ૨૩.૬°અક્ષાંસ પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે.આ સ્થાન પહેલા સીતાની ચૌરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું.હાલના સમયમાં આ મંદિરમાં કોઈ પૂજા થતી નથી.આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.અમે થોડાં વર્ષ અગાઉ ગયા ત્યારે એ "રક્ષિત" ઈમારતનાં વિદેશી પ્રવાસીઓને જાણ કે,ગોળનું ગાડું મળી ગયું હોય એમ ઊંધા પડીને ફોટોગ્રાફ લઈ રહ્યા હતાં.ત્યારે કૅમેરા ફોન કે સ્માર્ટફોનની કલ્પના ય ન્હોતી.મારી સિવાયના સાથીઓને ઈતિહાસની ખબર જ નહોતી,તેથી જ તેઓ વિસ્મિત હતાં.!😮મેં કહ્યું:મોહનભાઈ,ધોળીયાઓ આપણાં વારસાને કલાને તુરત પામી જાય.
મોઢેરા નૃત્ય મહોત્સવ :
🏰🏰🏰🏰🏰🏰
👉#કથક નૃત્યાંગના નમ્રતારાય,મોઢેરા નૃત્ય મહોત્સવ.ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે ૩ દિવસનો નૃત્યમહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે.જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે.
સ્થાનનોંધ ...!
🎪🏞️🎪🏞️
👉આજના સમયે મંદિરની પાછળ રહેલા શિલાલેખ પર આધારિત છે.મંદિરનું તોરણ અને સ્તંભો દેલવાડાના વિમલવંશી આદિનાથ મંદિર સાથે સામ્યતા ધરાવે છે,જે ઈ.સ.1031-32માં બંધાયું હતું.એટલે બંનેનો સમય સરખો છે.કર્કવૃત્તનું સ્થાન ચોક્કસ નથી,અને તે સમયાનુસાર ચલ છે.તે ઈ.સ.1923માં ૨૩° ૨૭′ હતું, જે ઈ. સ.2045માં ૨૩° ૨૬'થશે.


👉#મોઢેરા અંગે ઈ.સ.1887માં એલેકઝાન્ડર ફાર્બસે તેમના પુસ્તક રાસમાળામાં આ સ્થળ સ્થાનિકો દ્વારા સીતાની ચૌરી અને રામકુંડ તરીકે ઓળખાતું હોવાનો ઉલ્લેખ કર્યો છે,જે રામ અને સીતા સાથે સંબંધિત છે.આ ફારબસ એક અંગ્રેજ અમલદાર હતા,પરંતુ ભારતીય સંસ્કૃતિમાં,ગુજરાતી ભાષામાં એમને બહુ ઉંડો રસ.તેથી ગુજરાતી ભાષા કવિ દલપતરામ પાસે ખાસ પગાર દઈને શીખીને ગુજરાત વરનાક્યુલર સોસાયટી એમણે સ્થાપેલી.જે આજે ય હજી જરા જુદા નામે ચાલુ છે.વિચારો તો ખરા..!આપ યુરોપમાં ફ્રાન્સ જઈને ફ્રેન્ચ ભાષા શીખીને પછી નોકરી કરતાં કરતાં આવી સ્થાનિક પ્રવૃત્તિઓ - સંસ્થા સ્થાપિત કરી સાહિત્યની સેવા કરો એવું.તેઓએ ઈડરના ગઢ ઉપર રણમલ ચોકી નામનાં સ્થળે કવિઓની મિજલસ ભરી હતી,એ જમાનામાં.આજે તો ઈડરના સ્થાપત્યોની ય જાળવણી જોઈએ એવી હાલમાં નથી થતી.એ હું ત્યાં 3 વખત જઈ જોઈ આવ્યો છું એટલે લખું.અને પોળોનાં વિસ્તારમાં આવેલા ઈતિહાસવારસાની તો વાત જ જુદી.

નોંધ. આ લેખ ફેસબુક પરથી લીધેલ છે. એનો હેતુ માત્ર સારા ઐતિહાસિક સ્થળ વિશે માહિતી આપવાનો છે.

No comments:

Post a Comment