Friday, January 23, 2026
મણકો.૧ ગલબાકાકાના જીવનનો એકડો...
Wednesday, July 3, 2024
ઉનાકોટી.. એટલે એક કરોડમાં એક ઓછું.
Sunday, September 10, 2023
મૃત્યુ બાદ જીવિત રહેવાનો એક માત્ર વિકલ્પ અંગદાન
અંગદાન જાગૃતિ કાર્યક્રમ ધાનેરા
Sunday, May 7, 2023
IAS ઓફિસર બનવા માંગતી મિત્તલ પટેલ બની લાખો વ્યકિતઓનું સુખનું સરનામું
Saturday, January 28, 2023
ભગવાનશ્રી રામના હસ્તે સ્થાપિત રામેશ્વર મહાદેવજીનું મંદિર...
Tuesday, January 24, 2023
ફૂલો, અત્તર, હુન્નર અને શાયરોનું નગર -પાલનપુર
Wednesday, December 14, 2022
વિચાર વાવો તો જરૂર ઉગે છે
Monday, September 12, 2022
Wednesday, July 20, 2022
"છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથા પર સ્વમાનભેર જીવન ગુજારી શકે"- ગલબાકાકા
Tuesday, May 24, 2022
ગૌમુખ (માઉન્ટ આબુ)
#ગૌમુખ (માઉન્ટ આબુ)
માઉન્ટ આબુ જવું કોને ન ગમે?
શકિતની, ઉપાસનાની, સંતોની, તપસ્વીઓની ભૂમિ... મંદિરોથી શોભતી અને પ્રકૃતિને પ્રેમ કરનારી આ ભૂમિ. અનેક ઈતિહાસો સાથે ગહન નાતો ધરાવતી આ ભૂમિ પર સૌ કોઇ દર્શને, આનંદમાણવા અને વિહરવા પ્રકૃતિના સ્થાન પર જતા હોય છે. માઉન્ટ આબુ પર અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. એ પૈકીનું એક ઐતિહાસિક સ્થળ એટલે... ગૌમુખ.
આ મંદિરનો શાબ્દિક અર્થ છે "ગાયનું મોં." મંદિરના સૌથી ઉપરના ભાગમાં પહોંચવા માટે વ્યક્તિએ 733+ પગથિયાં ઉતરવાની જરૂર છે. આ મંદિરની રચના સાથે ઘણી રસપ્રદ વાતો, કથાઓ જોડાયેલી છે.
આ મંદિર સંત વશિષ્ઠને સમર્પિત છે. એવું કહેવાય છે કે સંત વશિષ્ઠે આ સ્થાન પર એક યજ્ઞ કર્યો હતો. આ જગ્યા પર શ્રીરામે તથા એમના ભાઈઓએ અભ્યાસ કર્યો હોવાનું પણ માનવામાં આવે છે. વશિષ્ઠ ઋષિ એ અહીં તપ કર્યું અને ગાયોની સેવા ઉપાસના પણ કરી હતી.ઉપાસના કરીને સરસ્વતીનું અવતરણ પણ કર્યું હતું.તેને એક વિશાળ ખડકમાંથી કાપીને બાંધવામાં આવ્યું છે, મંદિરમાં એક પથ્થર કોતરવામાં આવેલ ગાયનું માથું છે જેમાં આરસની ગાયના મુખમાંથી કુદરતી ઝરણું વહે છે. નજીકમાં તમને નંદી, સંત વશિષ્ઠ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની મૂર્તિઓ જોવા મળશે. હાલમાં પણ અહીં વશિષ્ઠ ઋષિ નો આશ્રમ આવેલ છે. એમના ઉપાસકો અહીં રહે છે.
આ સ્થાન પર પહોચવા માટે આપણે 733+ પગથિયાં નીચે ઉતરવું પડે છે. આજુબાજુ પ્રકૃતિથી વચ્ચે અરાવલ્લીની ગોદમાં આવેલું આ સ્થાન શોભી રહ્યું છે. અહીં જતી વખતે રસ્તામાં આબાનુ વન હોય એવો અહેસાસ પણ થાય છે. જીવનમાં એકવાર માઉન્ટ આબુ જજો અને હા આ સ્થાનની મુલાકાત ચોકકસ લેશો.
#વંશ_માલવી.
Wednesday, March 9, 2022
ગુણોત્સવ 2.0 વિશે અગત્યના પ્રશ્નો❓
1. ગુણોત્સવ 2.0ની શરુંઆત કયારે થઇ હતી?
વર્ષ 2019થી
2. ગુણોત્સવ 2.0ના મુખ્યક્ષેત્રો કેટલા છે?
4 (ચાર)
3. ગુણોત્સવ 2.0 અંતર્ગત મૂલ્યાંકન માટે કોની નિમણૂંક કરવામાં આવે છે❓
સ્કુલ ઈન્સપેકટર
4. ગુણોત્સવ 2.0અંતર્ગત મૂલ્યાંકનમાં એકમ કસોટીનો ગુણભાર કેટલા ટકા છે?
12% (બારટકા)
5. ગુણોત્સવ 2.0અંતર્ગત મૂલ્યાંકનમાં સત્રાંત કસોટીનો ગુણભાર કેટલા ટકા છે?
12% (બાર ટકા)
6. ગુણોત્સવ 2.0અંતર્ગત શાળાની હાજરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે?
શાળા વ્યવસ્થાપન
7. D ગ્રેડની શાળાને રિપોર્ટ કાર્ડમાં કયો કલર કોડ પ્રાપ્ત થશે?
બ્લેક કલર
8. GSQACની સ્થાપના કયારે થઇ હતી?
2010
9. 79% ગુણભાર ધરાવતી શાળાને કયો ગ્રેડ મળવાપાત્ર થશે?
A
10. શાળા પુસ્તકાલય પેટા ક્ષેત્રનો સમાવેશ કયા મુખ્ય ક્ષેત્રમાં થશે?
સંશાધનો અને તેનો ઉપયોગ
Monday, February 21, 2022
માતૃભાષા દિવસ... ♈ચાલો! ખરા અર્થમાં માતૃભાષાને પ્રેમ કરીએ. 🤍🖋
💐💐💐💐💐💐💐💐આજના ગૌરવવંતા માતૃભાષા દિવસની સૌને શુભેચ્છાઓ💐💐💐💐💐💐💐💐
ગર્ભ,ગળથૂથી અને માના ધાવણમાંથી પ્રાપ્ત થઈ હોય એ માતૃભાષા. #વંશ_માલવી
ભાષાએ વ્યકત થવાનું માધ્યમ છે, પરંતુ માતૃભાષા એ માનવીની ભાવનાઓ, લાગણીઓ, ઊર્મિઓ, વેદનાઓ વગેરેને સંયોજિત કરીને અભિવ્યક્ત થવાની ભાષા છે. માતૃભાષાએ આપણને ઊગતાં, ખિલતા અને સમૃધ્ધ થતા શિખવે છે. માતૃભાષામાં મા નો મીઠો સ્પર્શ હોય છે. જેની પાસે માતૃભાષા છે એની પાસે'મા' નું વાત્સલ્ય છે.
માતૃભાષાના આધાર પર અનેક ભાષાઓની ઈમારત ચણાતી હોય છે. -અજ્ઞાત
માતૃભાષાએ આપણા સપનાની ભાષા છે.
માતૃભાષા વિશેનો મહિમા સમજાવતા માસુગભાઈ પટેલ
માતૃભાષાને સમજવાનો પ્રયાસ કરનારા અમારા બાળદેવો....
આપણે સૌ ગુજરાતી... આપણી માતૃભાષા ગુજરાતી...આજના આ ખાસ દિવસે થોડીક વાત આપણી મા અર્થાત્ ગુજરાતી ભાષાની કરવી છે. માતૃભાષા એ સાગર છે ,એનો વિસ્તાર અનંત છે ,એની ગહેરાઈ ખૂબ જ વિશાળ છે. આપણી માતૃભાષાનો વારસો ખૂબ જ સમૃધ્ધ છે. આપણા વારસામાં ભાલણ,પ્રેમાનંદ, પન્નાલાલ પટેલ, વીર નર્મદ, કવિ કલાપી, સુન્દરમ્, નરસિંહ મહેતા, મીરાબાઈ, રધુવીર ચૌધરી, ઝવેરચંદ મેઘાણી અને મહાત્મા ગાંધીજી જેવા અનેક મહાનુભાવોની વર્ષોની તપસ્યા રૂપી મહેક છે. આપણે બસ જરુર છે આ વારસાને સાચવવાની...
આજે આપણે ધેર આવતા મહેમાનને આવકારવા વેલકમ ના બદલે પધારો, આવો રા, ભલે પધાર્યા એવો મીઠો આવકાર આપવો પડશે,મહેમાનને વિદાય વખતે બાયને બદલે પધારો જો, આવ જો એવો મીઠો ટહુકો આપવો પડશે.મમ્મીને બદલે મા, બાઈ જેવા વાત્સલ્ય વાચક શબ્દો થકી સંબંધને મજબૂત બનાવો પડશે.પપ્પાને બદલે બાપુજી જેવા શબ્દો ઉપયોગ કરતાં થવું પડશે.સોરીના બદલે માફ કરશો, ક્ષમા કરશો એવા ભાવવાચક શબ્દોને બોલવા પડશે. આપણો સમૃદ્ધ વારસો ફાકડા અંગ્રેજી શબ્દોમાં નહિ પણ આપણી માતૃભાષામાં છે જે સાચવવાની જવાબદારી આપણા સૌની છે.
આપણા બાળકને અન્ય ભાષાના વિષને બદલે માતૃભાષાનું અમૃત પીરસો. આપણા ધર , પરિવારમાં આપણા દરેક પ્રત્યાયનમાં આપણે માતૃભાષાનો ઉપયોગ કરીએ. આપણા શાળા કે ધરના નાનકડાં ગ્રંથાલયમાં આપણી માતૃભાષાને સમૃધ્ધ બનાવતા પુસ્તકો વસાવીએ, વાચીએ અને બાળકોને વંચાવીએ. માનવીની ભવાઈ, મારી હકીકત, મળેલા જીવ, દીપ નિર્વાણ જેવા અનેક સાહિત્યના ખજાનાને આપણે ઢંઢોળવો પડશે તો જ આપણે ખરા અર્થમાં માતૃભાષા દિનની ઊજવણી કરી મનાશે.











































